જાણો માયા ભાઈ આહીર ની ટેકટર ના ડ્રાઈવર થી ડાયરાના સુપરસ્ટાર સુધી ની સફર
માયાભાઈ આહિર નું નામ આવે એટલે સૌ કોઈને એક વસ્તુ તો યાદ આવીજ જાય કે હવે હસી હસી ને પેટે પાટા આવી જવાના છે. માયાભાઈ આવે એટલે આપણે સૌને ખબર છે ને? ડાયરામાં રોનક આવી જાય છે. માયાભાઈ એ પોતાની મધુર વાણી ને ચલતે આખી રાત ડાયરો કરે અને સાંભળનાર ને ખબર પણ ના પડે કે હવે સવાર થવા આવ્યું છે. માયાભાઈ ની વાણી માં જાણે જાદુ છે.
માયા ભાઈ ના સંઘર્ષ વિશે: માયાભાઈ આહીર નો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું એક નાનું ગામ કુંડવી ખાતે થયો.તેમના પરિવાર નું મૂળ વતન બોડવી ગામ છે જે કુંડવી ની નજીક જ આવેલ છે. માયાભાઈ ના પિતા અને મામા એ જમીન જ કુંડવી ખાતે લીધી હતી જેથી એ કુંડવી ગામ માં જ રહેતા હતા, તેમના પિતા ને લોકો ભગત તરીકે જ ઓળખતા હતા, કુંડવી ખાતે કોઈ સાધુ- સંત આવે ત્યારે એમનો ઉતારો માયાભાઈ આહીર ના ત્યાં જ હોઈ.માયાભાઈ આહીર ના પિતાજી ને ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો બહું શોખ હતો એટલે જ માયાભાઈ ને પણ ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ થયો.
માયા ભાઈ ને અભ્યાસ માં પડતી મુશ્કેલી : માયાભાઈએ પોતાનું ધોરણ ૧ થી ૪ ધોરણ સુધી નું શિક્ષણ કુંડવી મા જ લીધું હતું. કુંડવી ગામ મા માયાભાઈ વાડી વિસ્તાર મા રહેતા હતા, આ વિસ્તાર થી શાળા દોઢ(૧.૫) કિલોમિટર ના અંતરે આવતી હતી અને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ કાંટાળો અને ખૂબ જ ખરાબ હતો. તેમ છતાં આવી સ્થિતિ મા પણ માયાભાઈ ચાલી ને શાળાએ જતા હતા. ત્યાર બાદ તેમણે ધોરણ ૫ થી ૯ સુધી ની શિક્ષા આ ગામ ની બાજુ મા આવેલા બોરડા ગામ માથી લીધી હતી.
ત્યાર બાદ તેમણે ધોરણ 10 નો અભ્યાસ ભાવનગર જિલ્લા ની આલ્ફ્રેડ હાઈસ્કૂલ મા પૂર્ણ કર્યો હતો. માયાભાઈ જ્યારે પ્રાથમિક શાળા મા શિક્ષણ પ્રાપ્ત કરતા હતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતી ના વિવિધ કાર્યો મા પણ સહાયતા કરતા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગાયો ને વગડા મા ચરાવવા ની સાથોસાથ પોતાની ગાયન ની કળા ને પણ ધારદાર બનાવતા હતા.
માયા ભાઈ ધારણ પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને ટેક્ટર ચલાવતા : માયાભાઈએ ૧૯૯૦ થી લઈ ને ૧૯૯૭ સુધી ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન તથા લોડિંગ વાહન બંને હતા. ઘર ની આર્થિક પરિસ્થિતિ પ્રમાણસર ખૂબ જ સારી હતી. આ વાહન ના વ્યવસાય અંગે માયાભાઈએ એવું કહેલું કે, લોકો બહારગામ જાય ત્યારે તેમનું વાહન જ પસંદ કરતા હતા. એટલું જ નહીં લોકો પોતાની જાન ની તારીખ પણ માયાભાઈ ના વાહન ની હાજરી મુજબ લેતા હતા.તેમની કોઠાસૂઝ ના કારણે અને અમુક કલાકારો સાથે ધરોબો હોવાના કારણે આજુબાજુ ના ગ્રામ્યવિસ્તાર મા થતાં લોકસાહિત્ય કાર્યક્રમ ના સ્ટેજ ની સંપૂર્ણ જવાબદારીઓ તેમને સોંપી દેવા મા આવતી હતી.
સખત પરિશ્રમ બાદ મળેલ પરિણામ : આ કાર્યક્રમો દરમિયાન લોકો અને કલાકારો પણ તેમને સ્ટેજ પર બોલાવીને તેમને તેમની વિશિષ્ટ આવડત દર્શાવવા માટે જણાવતા હતા.આ કાર્યક્રમો ટૂંક સમય મા જ લોકો ને ખૂબ પસંદ પાડવા મળ્યા હતા.માયાભાઈ પોતાના અંગત જીવન મા ફક્ત બે જ બાબતો ને ટર્નિંગ પોઈન્ટ તરીકે દર્શાવે છે.
સફળ જવા પાછળના 2 ટર્નિંગ પોઈન્ટ : સૌપ્રથમ ટર્નિંગ પોઈન્ટ છે બગદાણા મા બજરંગદાસબાપુ ના મંદિરે થતાં લોકસાહિત્ય ના કાર્યક્રમ મા સંભાળવા મળતી જવાબાદારી કે જેણે તેમને ઘણું શીખવાડયુ હતું। બીજો ટર્નિંગ પોઈન્ટ છે તલગાજરડા મા મોરારીબાપુ ની 600 મી રામકથા મા જયારે, ૧૯ કલાકારો ની હાજરી મા તેમનું પર્ફોરમન્સ જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.અહી સુધી જ સીમીત નથી, તેમને ફક્ત ૫ મિનિટ નો જ સમય ફાળવવામા આવ્યો હતો તેમ છતાં તેમણે ૪૫ મિનિટ સુધી પર્ફોરમન્સ કરીને લોકો ના હૃદય મા સ્થાન બનાવી લીધું હતું.આ બંને ઘટનાઓ ના કારણે જ તેમના આત્મવિશ્વાસ મા વૃદ્ધિ થતી હતી
માયાભાઈ નું પારિવારિક જીવન : માયાભાઈએ પોતાના સંસારિક જીવન મા તેમની ધર્મપત્ની અજાયબાઇ તથા સંતાનો મા બે દીકરા અને એક દીકરી છે. મોટાપુત્ર ના લગ્ન થઈ ચૂક્યા છે જે મહુવા મા રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર હજુ ભણે છે અને દીકરીએ હાલમાં જ લગ્ન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયા મા અમારી સાથે જોડાઓ